ડાયાબિટીસના સામાન્ય લક્ષણોમાં તરસ, વારંવાર પેશાબ, અતિશય ભૂખ અને અણધાર્યા વજનમાં ઘટાડો સામેલ છે. અન્ય કેટલાક બિન-વિશિષ્ટ ચિહ્નો અને લક્ષણો પણ થઈ શકે છે, જેમાં કેન્ડીડા ચેપને કારણે થાક, અસ્પષ્ટ દ્રષ્ટિ, મીઠી ગંધયુક્ત પેશાબ/વીર્ય અને જનનાંગમાં ખંજવાળનો સમાવેશ થાય છે.
ડાયાબિટીસના કારણો :
ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટી ઍસિડ(જેમકે વારંવાર તેલમાં તળેલી વાનગી)નો વધારે પડતો ઉપયોગ
ખોરાકમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ/સુગરનો વધારો પડતો ઉપયોગ (જેમકે મેંદો)
ખોરાકમાં ફાઇબરયુક્ત આહારનું ઓછું પ્રમાણ (જેમકે લીલાં શાકભાજી)
કસરતનો અભાવ
પેટ પાસે વધારે પડતી ચરબી, બૉડીમાં ઇન્ડેક્સ 25 કરતાં વધુ
ચોકરવાળો લોટ (ઘઉં, જવ, ચણા, સોયાબીન), મગ, તુવેર અને ચણાની દાળ, કારેલાં, પરવળ, દૂધી, તૂરિયા, ટામેટાં, કોળું, ખીરા કાકડી, લીલાં મરચાં, પાલક, બથવો, ડુંગળી, લસણ, લીંબુ, મેથી, સરગવો વગેરે શાક ખાવા જોઈએ. -આમળા, જાંબુ તથા જાંબુના ઠળિયાનું ચૂર્ણ, મેથીદાણાનું પાણી, દરરોજ કડવા લીમડાના 5-7 કુમળા પાન ચાવીને ખાવા.
ડાયાબિટીસના દર્દીઓ વિશ્વભરમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે. મોટી સંખ્યામાં વડીલોથી લઇને યુવાઓ સુધી સૌથી કોઇ બીમારીથી ગ્રસ્ત થઇ રહ્યા છે. જ્યારે શરીર પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન નથી બનાવની શકતું કે ઇન્સ્યુલિનને યોગ્ય રીતે ઉપયોગમાં નથી લઇ શકતું ત્યારે બ્લડ સુગર લેવલ વધી જાય છે. જો તેને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે હાર્ટ, કિડની, આંખો અને ચેતાઓને નુકસાન પહોંચાડી શકે છે. યોગ્ય ખાણીપીણી અને અમુક ઘરેલું ઉપાયો ડાયાબિટીસને ઘણી હદે કંટ્રોલ કરી શકે છે. આયુર્વેદિક ડોક્ટર પાસેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવા.
#ડાયાબિટીસનોઈલાજ #ડાયાબિટીસનીદવા #ડાયાબિટીસનોઈલાજ #ડાયાબિટીશુખાવુ #diabetes #diabeteshomeremedy
Информация по комментариям в разработке