શ્રી અજરામરજી સ્વામી જન્મોત્સવ |શ્રી વિમલચન્દ્રજી સ્વામી | પૂ.વર્ષાકુમારી મ.સ. | ચાણક્યપુરી જૈન સંઘ|

Описание к видео શ્રી અજરામરજી સ્વામી જન્મોત્સવ |શ્રી વિમલચન્દ્રજી સ્વામી | પૂ.વર્ષાકુમારી મ.સ. | ચાણક્યપુરી જૈન સંઘ|

શ્રી સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચન્દ્રજી સ્વામીના આશીર્વાદથી તેઓશ્રીના કૃપા પાત્ર શિષ્ય શ્રી વિમલચન્દ્રજી સ્વામી તથા સાધ્વી રત્ન શ્રી ગીતાકુમારી મ.સ.ના સુશિષ્યા શ્રી વર્ષાકુમારી મ.સ. ઠાણા-૩ના સાન્નિધ્યમાં દાદા ગુરૂદેવનો ૨૭૧મો જન્મ દિવસ,જેઠ સુદ-૯, તા.૧૫ જૂન ૨૦૨૪-શનિવાર તથા લીંબડી ગાદી સ્થાપના દિન જેઠ સુદ-૧૧ તા.૧૬ જૂન ૨૦૨૪-રવિવાર ઉજવવામાં આવ્યો હતો.
-તા.૧૫નાં જન્મ દિવસે આશરે ૨૫૦ લોકોએ નવકારશીનો લાભ લીધો હતો અને દરેકને દાતાશ્રી તરફથી રૂ.૧૦૦-૧૦૦ની પ્રભાવના કરવામાં આવી હતી.
-તા.૧૬ના ૯૦ જેટલા શ્રાવક-શ્રાવીકાઓ એકાસણાની આરાધના કરી હતી અને ઉપાશ્રયમાં ગાદીની ૧૫૦ જેટલા ભાવિકોએ પરિક્રમા કરી હતી. એકાસણા કરનારને રૂ.૧૦૦ અને પરિક્રમા કરનારને રૂ.૧૦૦ની પ્રભાવના દાતાશ્રીના સહયોગથી આપવામાં આવી હતી.
-શ્રી સંઘમાં છોટેગુરૂદેવનાં ૧૨ વર્ષ બાદ પગલા થયા હોવાથી શ્રી સંઘમાં આનંદ-આનંદ છવાયો હતો અને રજવાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.
#ajaramar #chankyapuri #અમદાવાદ #birthday #celebration

Комментарии

Информация по комментариям в разработке