#આજનોદિવસ #22February#ઇન્દુલાલ યાજ્ઞિક #જન્મદિવસ #મહાગુજરાતઆંદોલનનાપ્રણેતા, #સ્વાતંત્ર્યસેનાની #સમાજસેવક#ઇન્દુલાલકનૈયાલાલયાજ્ઞિક#currentaffairs (#૨૨ફેબ્રુઆરી ૧૮૯૨ - ૧૭ જુલાઇ ૯૭૨) (ઉપનામ: #પામદત્ત) જેઓ #ઈન્દુચાચા; તરીકે જાણીતા હતા, #ગુજરાતનાસમાજશાસ્ત્રી, #આત્મકથાકાર, #નાટ્યકાર, #નવલકથાકાર હતા.જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને લીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે.
‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે લખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.
‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક દ્રષ્ટિએ થયેલી આલોચના છે.
‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે આવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે.
‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.#gpsc #upsc #currentaffairs #gk #gujarat #surat #gujarati #india #gpsctaiyari #rajkot #gpscpreparation #gpscstudy #knowledge #talati #ssc #gujju #ips #ssccgl #ias #gpsccurrent #gandhinagar #upscmotivation #mppsc #exam #vadodara #ahmedabad #current #class #gujrati #bhfyp#facts #gpscmaterial #binsachivalay #junagadh #jamnagar #generalknowledge #uppsc #amreli #anand #instagram #gujrat #generalknowledgeindia #exams #kutch #valsad #binsachivalayclerk #police #study #news #gpscexam #talatiexam #rrb #currentaffairsquiz #psi #ahemdabad #mehsana #upscexam #gpsctutorial #gpscbooks #constable#currentaffairs #upsc #gk #ssc #generalknowledge #ias #india #ssccgl #ips #news #knowledge #currentaffairsquiz #facts #ibps #mppsc #upscmotivation #motivation #upscexam #education #railway #dailycurrentaffairs #civilservices #study #gpsc #gkindia #quiz #exam #instagram #upscaspirants #bhfyp
Информация по комментариям в разработке