આ ચાર પદો ગાવા કે ભાવપૂર્વક સાંભળવાથી ૧૦૮ કીર્તનોના ગાનનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનમાં પ્રીતિ વધે છે.
🙏🌸 જય સ્વામિનારાયણ 🌸🙏
પ્રસ્તુત છે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી રચિત અતિ મધુર અને ભક્તિરસથી ભરપૂર કીર્તન —
“આજ સખી મને સ્વપ્નું આવ્યું” (પદ ૧ થી ૪)
આ ચાર પદો ગાવા કે ભાવપૂર્વક સાંભળવાથી ૧૦૮ કીર્તનોના ગાનનું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાનમાં પ્રીતિ વધે છે. એવી મહિમા વાણી છે.
આ કીર્તનમાં ભક્તનો ભગવાન પ્રત્યેનો અનન્ય પ્રેમ, આતુરતા અને મિલનની લાગણી અતિ સુંદર રીતે વ્યક્ત થાય છે.
શ્રી હરિ પ્રેમી ભક્તો માટે આ કીર્તન મનને શાંતિ અને આનંદથી ભરપૂર કરી દે છે.
🙏 વિડિઓ ગમ્યું હોય તો Like 👍 કરો
🔔 ચેનલને Subscribe કરો
📲 અન્ય હરિભક્તો સુધી જરૂર Share કરો
🙏જય સ્વામિનારાયણ 🙏
🔖 પદ - ૧
આજ સખી મુને સપનું લાધ્યું, અવીનાશી ઘેર આવ્યા રે; ભુધરજીને ભાવ કરીને, મંદિરમાં પધરાવ્યા રે. આ. ૧
જરકસી પાઘે જરકસી વાઘે, અત્તરમાં રસબસતા રે; આવીને ઉભા મારી આગે, હરીવર સુંદર હસતા રે. આ. ૨
રમઝમ કરતા મનડું હરતા, સુંદર મોરલી હાથે રે; લલિત નવીન કલંગી લટકે, મેલ્યાં છોગાં માથેરે. આ. ૩
મૂર્તિ નવલ મનોહર મીઠી, મીઠી મુખની વાણી રે; સુંદરવરની સુંદર શોભા, જોઇને હું લોભાણી રે. આ. ૪
મોહનજીને મળતાં હું તો, અતિશય આનંદ પામી રે; આવી વહાલો અઢળક ઢળીયા, બ્રહ્માનંદનો સ્વામી રે. આ. ૫
પદ ૨
આજ સખી આનંદ મારા અંગમાં, રસીયો રંગભર રમીયા રે; અલવીલો અલબેલો વહાલો, ગિરિધર મનડે ગમીયા રે. આ. ૧
કુણ જાણે જે શાં તપ કીધાં, ભુધરને મન ભાવી રે; જગજીવન પોતાની જાણી, બાંહ્ય ગ્રહી બોલાવી રે. આ. ૨
માન દેઇ સુંદરવર મુજને, કાન સોહાગણ કીધી રે; ભાવ કરી હઇડામાં ભીડી, બીડી મુખમાં દીધી રે;આ. ૩
ગુણવંતે સુંદર ગિરિધારી, અવગુણીયાં વીસાર્યાં રે; મતવાલો મારે મંદિરિયે, પ્રીત સહિત પધાર્યા રે. આ. ૪
રંગભીનો મનમોહન રમીયા, સેજલડી મુજ સાથે રે; સજની મારો જનમ સુધાર્યો, બ્રહ્માનંદને નાથે રે;આ. ૫
પદ 3
આવોને અલબેલા વહાલા, રંગભર ભેળા રહીએ રે; મળ્યાનો નટવર મોહનજી, લાભ અમોલક લઇએ રે. આ. ૧
મનમાં કોડ ઘણા છે મુને, મળવા તમને માવા રે; મહેર કરી મારે મંદિર આવો, પ્રેમ અધરરસ પાવા રે. આ. ૨
છબી તમારી છેલ છબીલા, લાગે મુજને પ્યારી રે; ઓરા આવો રમીએ આપણ, ગુણવંતા ગિરિધારી રે. આ. ૩
તમ સારુ સહીયાં ત્રિકમજી, લોકડીયાનાં મેહેણાં રે; સેજડીયે આવી સુંદરવર, તૃપ્ત કરો મારાં નેણાં રે. આ. ૪
ઝાઝું શું કહી દાખું જીવન, પ્રાણ થકી છો પ્યારા રે; બ્રહ્માનંદના શ્યામ સનેહી, નટવર રહો માં ન્યારા રે. આ. ૫
પદ ૪
આવોને અલબેલા આપણ, વાલમ કરીએ વાતું રે; જોયા વીના તમને જગજીવન, અંતર સુખ નથી થતું રે. આ. ૧
મનમાં હોંસ ઘણી છે મારે, મળવાને મોરારી રે; આવોને હવે આળસ મેલી, વાલમ જાઉં હું વારી રે. આ. ૨
બીજે મારું મન નવ માને, તમ સાથે એક સાજું રે; અંતરની જાણો અવીનાશી, શું કહીએ મુખ ઝાઝું રે. આ. ૩
નટવર ! આવો, કંઠ લગાવો, ભાવે સામું ભાળો રે; રંગભીના મોહન રંગીલા, રંગની રેલું વાળો રે. આ. ૪
અવગુણ મારા ચિત્તમાં ન ધરજો, જોજો બિરદ તમારું રે. બ્રહ્માનંદ કહે વદન દેખાડી, મેટો દુઃખડું મારું રે. આ. ૫
#AajSakhiManeSwapnuAavyu
#BrahmanandSwami
#SwaminarayanKirtan
Aaj Sakhi Mane Swapnu Aavyu,
Brahmanand Swami Kirtan,
Swaminarayan Kirtan Gujarati,
Gujarati Bhajan,
Swaminarayan Bhajan,
108 Kirtan Fal,
Aaj Sakhi Anand Mara Angma,
Giridhar Kirtan,
Haribhakti Song,
Swaminarayan Devotional Song,
Gujarati Kirtan Full,
Brahmanand Swami Bhajan
#GujaratiBhajan
#BhaktiSong
#108KirtanFal
#Haribhakti
#DevotionalSong
#SwaminarayanBhajan
#GujaratiDevotional
Информация по комментариям в разработке