About this video:
સુરેશભાઇ ચાવડા રાજકોટમાં "વેદિક મહાસભા" ચલાવે છે, જેમાં દર રવિવારે સવારે ૧૦ થી ૧૧ સુધી વેદ પર અધ્યયન થાય છે.
સરનામું: "પ્રેમ મોહન ૯",
નુતનનગર મેઇન રોડ,
નુતન નગર હોલની પાછળ,
કોટેચા ચોક,
કાલાવડ રોડ,
રાજકોટ.
YouTube: @vedicmahasabha3011
આ ઇન્ટરવ્યુમાં તેમણે ચાર વેદ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી છે. સનાતન ધર્મના પાયા ગણાતા ચાર વેદોની ઉત્પત્તિ, દરેક વેદના ઋષિઓ, પાઠી કોને કહેવાય, અને વેદી કોને કહેવાય તે સહિતની વિગતો પણ સરસ રીતે સમજાવી છે. વેદના મુખ્ય વિષયો, મંત્રોની સંખ્યા, ઉપવેદ, બ્રાહ્મણગ્રંથો, ૬ અંગો, ઉપાંગો, તથા ઉપનિષદોની જાણકારી પણ તેમણે આપી છે, જે એક સનાતની તરીકે ગર્વ મહેસૂસ કરાવનાર છે.
સુરેશભાઇએ વેદનો અભ્યાસ કેટલો અઘરો કે સરળ છે તે મુદ્દે પણ પ્રકાશ પાડ્યો છે.
વેદોની ઉત્પત્તિ:
સૃષ્ટિની શરુઆતમાં ૧ અબજ, ૯૬ કરોડ, ૮ લાખ, ૫૩ હજાર અને ૧૨૫ વર્ષ પહેલા.
અગ્નિ, વાયુ, આદિત્ય, અને અંગિરા ઋષિએ સમાધિમાં ચાર અલગ-અલગ વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું:
અગ્નિ ઋષિ – ઋગ્વેદ
વાયુ ઋષિ – યજુર્વેદ
આદિત્ય ઋષિ – સામવેદ
અંગિરા ઋષિ – અથર્વવેદ
આ જ્ઞાન ગુરુ-શિષ્ય પરંપરાથી આગળ વધ્યું.
પાઠી અને વેદી:
એકપાઠી – એક વાર વેદ સાંભળે અને વેદ કંઠસ્થ થાય તે.
દ્વિપાઠી – બે વાર વેદ સાંભળે અને કંઠસ્થ થાય તે.
ત્રિપાઠી – ત્રણ વાર વેદ સાંભળે અને કંઠસ્થ થાય તે.
ચતુર્પાઠી – ચાર વાર વેદ સાંભળે અને કંઠસ્થ થાય તે.
વેદી – એક વેદનું જ્ઞાન ધરાવનાર
દ્વિવેદી – બે વેદનું જ્ઞાન ધરાવનાર
ત્રિવેદી – ત્રણ વેદનું જ્ઞાન ધરાવનાર
ચતુર્વેદી – ચારેય વેદનું જ્ઞાન ધરાવનાર
વેદોનો મુખ્ય વિષય:
ઋગ્વેદ – જ્ઞાન
યજુર્વેદ – કર્મ
સામવેદ – ઉપાસના
અથર્વવેદ – વિજ્ઞાન
વેદોના મંત્રોની સંખ્યા:
ઋગ્વેદ – ૧૦,૫૫૨ મંત્રો
યજુર્વેદ – ૧,૯૭૫ મંત્રો
સામવેદ – ૧,૮૭૫ મંત્રો
અથર્વવેદ – ૫,૯૭૭ મંત્રો
વેદના ઉપવેદ:
ઋગ્વેદ – આયુર્વેદ
યજુર્વેદ – ધનુર્વેદ
સામવેદ – ગંધર્વવેદ
અથર્વવેદ – અર્થવેદ
બ્રાહ્મણ ગ્રંથો:
ઋગ્વેદ – ઐતરીય બ્રાહ્મણ
યજુર્વેદ – શતપથ બ્રાહ્મણ
સામવેદ – તાંડ્ય બ્રાહ્મણ
અથર્વવેદ – ગોપથ બ્રાહ્મણ
વેદના ૬ અંગો:
શિક્ષા
કલ્પ
નિરુક્ત
જ્યોતિષ
છંદ
વ્યાકરણ
વેદના ૬ ઉપાંગ (દર્શનશાસ્ત્રો):
યોગ દર્શન (મહર્શિ પતંજલિ)
સાંખ્ય દર્શન (કપિલ ઋષિ)
ન્યાય દર્શન (ગૌતમ ઋષિ)
વૈશેષિક દર્શન (કણાદ ઋષિ)
મિમાંસા દર્શન (જૈમિની ઋષિ)
વેદાંત દર્શન (વ્યાસ ઋષિ)
૧૧ ઉપનિષદો:
ઇશાવાસ્ય ઉપનિષદ
કેન ઉપનિષદ
કઠ ઉપનિષદ
પ્રશ્ન ઉપનિષદ
મુંડક ઉપનિષદ
માંડૂક્ય ઉપનિષદ
ઐતરેય ઉપનિષદ
તૈત્તિરીય ઉપનિષદ
શ્વેતાશ્વતર ઉપનિષદ
બૃહદારણ્યક ઉપનિષદ
છાંદોગ્ય ઉપનિષદ
વેદ અભ્યાસ કેવી રીતે શરુ કરી શકાય વિષય પર પણ સુરેશભાઇએ સચોટ માર્ગદર્શન આપ્યું છે અને આ અભ્યાસ અઘરો કે સહેલો છે તેની ઉપર તેઓએ સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે.
----
Cameraman: Dixit Dhanja
-------
Follow us:
➤ Instagram: / speakbindas
➤ Facebook: / speakbindasofficial
➤ E-mail: [email protected]
➤ Website: https://www.speakbindas.com/
------
"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."
Информация по комментариям в разработке