Std 10 | Gujarati | Poem No 4 | Jivan anjali thajo | Question_Answers with Grammar |

Описание к видео Std 10 | Gujarati | Poem No 4 | Jivan anjali thajo | Question_Answers with Grammar |

Std 10 | Gujarati | Poem No 4 | Jivan anjali thajo | Question_Answers with Grammar |
માણેક કરસનદાસ નરસિંહ, : ‘પદ્મ’, ‘વૈશંપાયન’, ‘વ્યાસ’ (૨૮-૧૧-૧૯૦૧, ૧૮-૧-૧૯૭૮) : કવિ, વાર્તાકાર, નિબંધકાર. જામનગર જિલ્લાના હડિયાણાના વતની. જન્મ કરાંચીમાં. ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ. અસહકારની ચળવળ વેળાએ કરાંચીથી ઈન્ટરનો અભ્યાસ છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા, પણ પરીક્ષા આપ્યા વિના ૧૯૨૩માં ફરી કરાંચીની ડી.જે. કૉલેજમાં દાખલ થઈ ૧૯૨૭માં સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. થયા. ૧૯૩૯ સુધી ત્યાંની બે હાઈસ્કૂલોમાં આચાર્ય તરીકે કામ કર્યું; અને એ દરમિયાન એક વર્ષ ‘ડેઈલી મિરર’ નામનું અંગ્રેજી છાપું ચલાવ્યું તેમ જ ૧૯૩૦ અને ૧૯૩૨માં જેલવાસ ભોગવ્યો. ૧૯૩૯ થી ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં. વસવાટ મુંબઈમાં. ૧૯૪૮ થી જન્મભૂમિ ટ્રસ્ટના ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૫૦ માં એ સામયિક બંધ પડતાં ૧૯૫૧ થી ‘સારથિ’ સાપ્તાહિક અને પછી ‘નચિકેતા’ માસિક શરૂ કર્યું. વડોદરામાં અવસાન.

Комментарии

Информация по комментариям в разработке